મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે ઉમિયાનગર-વીસીપરામાં લોકોને પાણી માટે વલખાં !


SHARE







મોરબીના રવાપર રોડે ઉમિયાનગર-વીસીપરામાં લોકોને પાણી માટે વલખાં !

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયાનગર અને વીસીપરા વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી પાણીના ધાંધીયા છે અને આ બાબતે ઉમિયાનગર વિસ્તારના લોકોએ ગ્રામ પંચાયતમાં તેમજ વીસીપરાના લોકોએ નગરપાલિકામાં એક નહીં પરંતુ અનેક વખત નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી આપવા માટે રજૂઆતો કરી છે તેમ છતાં પણ લેખિત અને મોખિત રજૂઆતોની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી લોકોને પીવાના પાણી માટે થઈને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ બંને વિસ્તારમાંથી મહિલાઓ સહિતના લોકો મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને મોરબીના રવાપર પાસે આવેલ ઉમિયાનગર તથા મોરબીના વીસીપરામાં નિયમિત રીતે અને પૂરતા પ્રમાણમાં લોકોને પીવાનું અને ઘરવપરાસનું પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને વીસીપરા વિસ્તારની અંદર પાણીના ટેન્કર હાલમાં ચાલી રહ્યા છે તેમાં વધુ પ્રમાણમાં પાણીના ટેન્કરો દોડવામાં આવશે તેવી કલેકટર દ્વારા ખાતરી આપવામાં આવી હતી તેમજ રવાપર રોડ ઉપર આવેલ ઉમિયાનગરમાં પાણીનો પ્રશ્ન છે તે ઉકેલાઈ જાય અને લોકોને સમયસર પાણી મળે તેના માટે ત્યાં જરૂરી ઘટતી કાર્યવાહી કરવા માટે થઈને પાણી પુરવઠા વિભાગ અને પંચાયતને કહેવામાં આવશે તેવું અધિકારીએ કહ્યું હતું જોકે, આ બંને વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News