પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીના ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી ટંકારાના નેકનામ ગામે વાડી પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી હળવદમાં વડીલોપાર્જિત જમીન બાબતે આધેડ અને તેના પત્નીને કૌટુંબિક ભાઈઓએ આપો જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં ડબલ સવારી બાઇકને ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં હળવદના નવી જોગડ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી !
Breaking news
Morbi Today

ભારે વરસાદ ના પગલે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ફુડ પેકેટ બનાવવાનું અવિરતપણે ચાલુ


SHARE

















ભારે વરસાદ ના પગલે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ફુડ પેકેટ બનાવવાનું અવિરતપણે ચાલુ

ભારે વરસાદના પગલે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ફુડ પેકેટ બનાવવાનું અવિરતપણે ચાલુ છે. જેમાં લાડવા-ગાંઠીયા, સુખડી, ભાત, પુરી,શાક, કઢી, ખીચડી સહીતની ભોજન સામગ્રી પુરી પાડી સ્થળાંતરિતોને ભરપેટ ભોજન પીરસી જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવે છે.તેમજ રામધન આશ્રમ-મોરબીના મહંત પ.પૂ.રતનેશ્વરીદેવીજીની ઉપસ્થિતીમાં કચ્છ જતાં પ્રવાસીઓને મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિરમાં આશ્રય આપવામાં આવ્યો હતો.

હરહંમેશ માનવસેવા માટે અગ્રેસર શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સવિશેષ સેવા પ્રદાન કરવામાં આવે છે.ત્યારે તાજેતર માં મોરબી જીલ્લામાં થયેલ અતિવૃષ્ટીના પગલે સ્થળાંતરીતો માટે ફુડપેકેટ બનાવવાની કામગીરી અવિરતપણે સંસ્થા દ્વારા ચાલુ રખાઈ છે. ગઈકાલે મોરબી જીલ્લા વહીવટી તંત્રની સુચનાથી મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ૧૦,૦૦૦ ફુડપેકેટ બનાવવામાં આવ્યા હતા તે ઉપરાંત આજે પણ ફુડપેકેટ બનાવવાનુ સંસ્થા દ્વારા અવિરતપણે ચાલુ રાખવામાં આવ્યુ છે.જેમાં લાડવા-ગાંઠીયા, સુખડી, પૂરી-શાક, ભાત, ખીચડી, કઢી સહીતની ભોજન સામગ્રી પ્રદાન કરી સ્થળાંતરિતોને ભરપેટ ભોજન પીરસી તેમની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી રહી છે.

તે ઉપરાંત કચ્છ જતાં પ્રવાસીઓને પણ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. મોરબી રામધન આશ્રમના મહંત પ.પૂ. રતનેશ્વરી દેવીજી સહીતના સંતો-મહંતો એ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ની રૂબરૂ મુલાકાત લઈ સેવાકાર્યની સરાહના કરી આશિર્વાદ અર્પણ કર્યા હતા.સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીના નેતૃત્વમાં કાર્યરત સેવાકાર્યમાં શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ સહીતની સંસ્થાના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.




Latest News