મોરબીમાં શ્રદ્ધા પાર્ક, ન્યુ કુબેર, કૃષ્ણનગર, મારુતિપાર્ક સોસયટીનો મુખ્ય રસ્તો ચાલુ કરીને પહોળો બનાવવા કરાઇ રજૂઆત મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિદ્યાર્થીની લોકગીત સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબરે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ફિનાઇલ પીવાનો મામલો: પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઇને તપાસ શરૂ કરી મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા જુદાજુદા ત્રણ માર્ગ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી મોરબીમાં જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ  ટંકારામાં યોજાશે મોરબીમાં કેન્દ્ર સરકારની વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવા માટે મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળીયા (મી) મામલતદાર કચેરી શહેરમા જ બનાવવા આમ આદમી પાર્ટીનું કલેક્ટરને અલ્ટિમેટમ


SHARE











માળીયા (મી) મામલતદાર કચેરી શહેરમા જ બનાવવા આમ આદમી પાર્ટીનું કલેક્ટરને અલ્ટિમેટમ

માળીયા (મી) શહેર આમ આદમી પાર્ટી ટીમ દ્વારા તથા જીલ્લા ટીમ સાથે રહીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યુ છે કે, લાંબા સમયથી વિવાદમાં રહેલ મામલતદાર કચેરી ઓફીસનું પુનઃનિર્માણ કરાવવા તથા મામલતદાર કચેરી માળીયા શહેરમાં જ બનાવવા રજુઆત કરવામાં આવી છે વધુમાં જણાવ્યુ છે કે, અમુક સ્વાર્થી રાજકારણીઓ અને ભ્રષ્ટ આગેવાનોના અંગત સ્વાર્થ માટે મામલતદાર કચેરી શહેરથી 15 થી 20 કિલો મીટર દુર બનાવવા સ્થાનિક તંત્રમાં તાલ મેલ થઈ રહ્યો હતો. જેનાથી માળિયા શહેરની 30 હજાર વસ્તી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જેવા કે ખાખરેચી, ઘાંટીલા,ટીકર, મંદરકી, વેજલપર, માનાબા, સુલતાનપુર, ચીખલી, વાધરવા, વિદરકા, હરીપર, ખીરઇ,ફતેપર, રાસંગપર, નવાગામ ,કાજરડા, જેવા ગામડાના અસંખ્ય લોકોને હેરાન થવું પડે તેમ છે. જેથી કરીને હાલમાં આવેદન આપીને અલટીમેટમ આપ્યું છે કે, અગાઉ સ્કુલ, આઇટીઆઇ અને અન્ય સરકારી સેવાઓ શહેરથી દૂર બનાવેલ છે આવી જ રીતે જો મામલતદાર કચેરીને સેન્ટરથી દુર લઈ જવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને જરૂર પડ્યે શહેરીજનોને સાથે રાખીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.






Latest News