મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી વાંકાનેરની જામસર ચોકડી પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જીને માસૂમ બાળકનું મોત નીપજાવ્યું: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) મામલતદાર કચેરી શહેરમા જ બનાવવા આમ આદમી પાર્ટીનું કલેક્ટરને અલ્ટિમેટમ


SHARE













માળીયા (મી) મામલતદાર કચેરી શહેરમા જ બનાવવા આમ આદમી પાર્ટીનું કલેક્ટરને અલ્ટિમેટમ

માળીયા (મી) શહેર આમ આદમી પાર્ટી ટીમ દ્વારા તથા જીલ્લા ટીમ સાથે રહીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યુ છે કે, લાંબા સમયથી વિવાદમાં રહેલ મામલતદાર કચેરી ઓફીસનું પુનઃનિર્માણ કરાવવા તથા મામલતદાર કચેરી માળીયા શહેરમાં જ બનાવવા રજુઆત કરવામાં આવી છે વધુમાં જણાવ્યુ છે કે, અમુક સ્વાર્થી રાજકારણીઓ અને ભ્રષ્ટ આગેવાનોના અંગત સ્વાર્થ માટે મામલતદાર કચેરી શહેરથી 15 થી 20 કિલો મીટર દુર બનાવવા સ્થાનિક તંત્રમાં તાલ મેલ થઈ રહ્યો હતો. જેનાથી માળિયા શહેરની 30 હજાર વસ્તી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જેવા કે ખાખરેચી, ઘાંટીલા,ટીકર, મંદરકી, વેજલપર, માનાબા, સુલતાનપુર, ચીખલી, વાધરવા, વિદરકા, હરીપર, ખીરઇ,ફતેપર, રાસંગપર, નવાગામ ,કાજરડા, જેવા ગામડાના અસંખ્ય લોકોને હેરાન થવું પડે તેમ છે. જેથી કરીને હાલમાં આવેદન આપીને અલટીમેટમ આપ્યું છે કે, અગાઉ સ્કુલ, આઇટીઆઇ અને અન્ય સરકારી સેવાઓ શહેરથી દૂર બનાવેલ છે આવી જ રીતે જો મામલતદાર કચેરીને સેન્ટરથી દુર લઈ જવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને જરૂર પડ્યે શહેરીજનોને સાથે રાખીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.






Latest News