માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવા આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમનો દંડ 


SHARE













મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવા આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમનો દંડ 

મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવા માટે 4 લાખનો ચેક આપેલ હતો જે ચેક રીર્ટન થયો હતો જેથી કરીને મોરબીની કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી જે કેસ ચાલી જતાં આરોપીને એક વર્ષની કેદની સજા અને ડબલ રકમનો દંડ વ્યાજ સહિત ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી જીગરકુમાર અતૃતલાલ દરજી તથા આરોપી રમેશભાઈ વાલજીભાઈ ચૌધરી બંને મહેસાણાના વતની હતા. અને બંન્ને વર્ષો થયા એક બીજાને સંબંધ હતા. જેથી આરોપી રમેશભાઈએ ફરીયાદી જીગરભાઈ તથા તેના માતા પાસેથી વર્ષ 2012-16 દરમ્યાન ટુકડે ટુકડે 20.50 લાખ હાથ ઉછીના લીધા હતા ત્યારબાદ સમય વીતતા ફરીયાદીને રકમની જરૂરીયાત પડતા ફરીયાદીએ આરોપી પાસેથી રકમની માંગણી કરી હતી જેથી આરોપીએ કહ્યું હતું કે, અમો તમોને ટુકડે ટુકડે ચુકવી આપીશ તેવો વિશ્વાસ આપેલ હતો જેથી આ મુજબ ફરીયાદી તથા આરોપી વચ્ચે સમજૂતી કરાર થયેલ અને તે કરાર મુજબ આરોપીએ ચાર ચેક ફરીયાદીને આપેલ હતા તે ચેક પૈકી એક ચેક ચાર લાખનો તા 25/6/19 નો આપેલ હતો જે ફરીયાદી દ્વારા તેઓની બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો જેથી જીગરભાઈ દ્વારા નોટીશ આપેલ છતા આરોપીએ રકમ ચુકવણી કરેલ ન હતી જેથી ફરીયાદી જીગરભાઈએ આરોપી સામે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી અને આ કેસ ચાલી જતા ફરીયાદ પક્ષે રજુ કરાયેલ પુરાવો તથા દલીલ તેમજ રજુ કરાયેલ ચુકાદાઓ ધ્યાને લઈને મોરબીના ત્રીજા એડી.ચીફ.જયુડી.મેજી. જજ સાહેબ દ્વારા આરોપી રમેશભાઈ વાલજીભાઈ ચૌધરીને એક વર્ષની કેદની સજા અને બમણી રકમ આઠ લાખનો  દંડ તથા ફરીયાદીને ફરીયાદ કર્યાની તારીખથી ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવી આપવાનો હુકમ કર્યો છે અને જો વળતર ચુકવવામાં કસુર કરવામાં આવે તો 90 દિવસની વધુ કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી જીગરભાઈ દરજી તરફે મોરબીના વકીલ મયુર પી.પુજારા રોકાયેલ હતા.




Latest News