મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવા આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમનો દંડ 


SHARE











મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવા આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમનો દંડ 

મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવા માટે 4 લાખનો ચેક આપેલ હતો જે ચેક રીર્ટન થયો હતો જેથી કરીને મોરબીની કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી જે કેસ ચાલી જતાં આરોપીને એક વર્ષની કેદની સજા અને ડબલ રકમનો દંડ વ્યાજ સહિત ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી જીગરકુમાર અતૃતલાલ દરજી તથા આરોપી રમેશભાઈ વાલજીભાઈ ચૌધરી બંને મહેસાણાના વતની હતા. અને બંન્ને વર્ષો થયા એક બીજાને સંબંધ હતા. જેથી આરોપી રમેશભાઈએ ફરીયાદી જીગરભાઈ તથા તેના માતા પાસેથી વર્ષ 2012-16 દરમ્યાન ટુકડે ટુકડે 20.50 લાખ હાથ ઉછીના લીધા હતા ત્યારબાદ સમય વીતતા ફરીયાદીને રકમની જરૂરીયાત પડતા ફરીયાદીએ આરોપી પાસેથી રકમની માંગણી કરી હતી જેથી આરોપીએ કહ્યું હતું કે, અમો તમોને ટુકડે ટુકડે ચુકવી આપીશ તેવો વિશ્વાસ આપેલ હતો જેથી આ મુજબ ફરીયાદી તથા આરોપી વચ્ચે સમજૂતી કરાર થયેલ અને તે કરાર મુજબ આરોપીએ ચાર ચેક ફરીયાદીને આપેલ હતા તે ચેક પૈકી એક ચેક ચાર લાખનો તા 25/6/19 નો આપેલ હતો જે ફરીયાદી દ્વારા તેઓની બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો જેથી જીગરભાઈ દ્વારા નોટીશ આપેલ છતા આરોપીએ રકમ ચુકવણી કરેલ ન હતી જેથી ફરીયાદી જીગરભાઈએ આરોપી સામે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી અને આ કેસ ચાલી જતા ફરીયાદ પક્ષે રજુ કરાયેલ પુરાવો તથા દલીલ તેમજ રજુ કરાયેલ ચુકાદાઓ ધ્યાને લઈને મોરબીના ત્રીજા એડી.ચીફ.જયુડી.મેજી. જજ સાહેબ દ્વારા આરોપી રમેશભાઈ વાલજીભાઈ ચૌધરીને એક વર્ષની કેદની સજા અને બમણી રકમ આઠ લાખનો  દંડ તથા ફરીયાદીને ફરીયાદ કર્યાની તારીખથી ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવી આપવાનો હુકમ કર્યો છે અને જો વળતર ચુકવવામાં કસુર કરવામાં આવે તો 90 દિવસની વધુ કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી જીગરભાઈ દરજી તરફે મોરબીના વકીલ મયુર પી.પુજારા રોકાયેલ હતા.






Latest News