હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસો બંધ કરો : પી.પી.જોષી


SHARE













ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસો બંધ કરો : પી.પી.જોષી

મોરબીના જાગૃચ નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરેલ છે. જેમાં જણાવેલ છેકે, ગુજરાત એસ.ટી.માં નિયત કરતા વધારે મુસાફરોની હેરાફેરી થાય છે.આ પ્રથા ફકત ગુજરાતમાં જ છે.અન્ય રાજયમાં ઓવર એજ બસો કે ઓવરલોડ મુસાફર ભરતા નથી.અન્ય રાજયોમાં બીજી બસોની સુવિધા પણ કરવામાંં આવે છે.

ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસોને કારણે મુસાફરોની સુરક્ષા ઉપર જોખમ રહે છે જે પ્રથા બંધ કરવી જોઈએ તેમજ એસ.ટી.ના ઘણા રૂટમાં કંડકટર ચોવીસ કલાક ફરજ બજાવે છે.જેને કારણે અવાર નવાર અકસ્માત થાય છે અને એસ.ટી.ને કરોડો રૂપીયા કલેમ પેટે ચુકવવા પડે છે તે પણ વ્યાજબી નથી.જેથી કરીને ડ્રાઈવર કંડકટરને વધુમાં વધુ આઠથી દસ કલાકની નોકરી આપવી જોઈએ તેમની લાંબોરૂટ હોય તો વચ્ચમાં કોઈપણ ડેપોમાં કયુચેન આપવું જોઈએ આ પ્રથા ઘણી જુની છે.જયારે પ્રથા ચાલુ હતી.આજે સત્તત ડ્રાઈવર ચોવીસ કલાક ફરજ બજાવે છે તો તે થાકી જાય છે અને તેને સમયસર આરામ મળતો નથી અને છેલ્લે અકસ્માત થાય છે.જેમાં મહામુલી જીંદગીથી હાથ ધોઇને મુસાફર જનતાએ મોતને શરણે થવુ પડે છે અને એસ.ટી.ને કલેમ ચુકવવો પડે છે.તો નિયમનુસાર ડ્રાઈવરને છ કલાકનો આરામ મળતો નથી જેથી આવા બનાવો બને છે.આવા સૌરાષ્ટમાં ધણા રૂટ છે જેમ કે દાહોદ-ગોધરા, ધોઘંબા-મોરબી, છોટા ઉદેપુર-બારીયા, મોરબી-વેરાવળ, દીવ, કોડીનાર, ભુજ ડેપોની પણ ધણી બસો સતત ૨૦ કલાકથી વધારે ફરજ બજાવે છે જે નિગમને તથા પ્રજાને નુકશાનકારક છે.તો વહેલી તકે આવી બસોને કયુચેન આપવુ જોઈએ એવી માંગણી પી.પી.જોષીએ કરેલ છે.






Latest News