માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપરથી બે અને સાવસર પ્લોટમાંથી એક મળી ત્રણ બાઈકની ચોરી : ત્રણની ધરપકડ


SHARE

















મોરબીના શનાળા રોડ ઉપરથી બે અને સાવસર પ્લોટમાંથી એક મળી ત્રણ બાઈકની ચોરી : ત્રણની ધરપકડ

મોરબીના જુદા જુદા વિસ્તારોમાંથી ત્રણ વાહનો (બાઇક) ની ચોરી થવા પામી છે.જેમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ નજીક ગાંધીના ડેલા પાસેથી એક બાઈકની ચોરી તેમજ શનાળા રોડ સુપર માર્કેટ નજીકથી ચા ની હોટલ પાસેથી એક બાઇકની ચોરી અને મોરબીના સાવસર પ્લોટમાં આયુષ હોસ્પિટલ પાસેથી એક બાઈકની ચોરી એમ કુલ ત્રણ વાહનોની ચોરી થવા પામી છે.જે બનાવમાં તપાસ ચલાવીને એ ડિવિઝન પોલીસ દ્વારા હાલમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ અન્ય કોઈ વાહન ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ..? તેની તપાસ માટે તેમના રિમાન્ડ લેવા પોલીસે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના ટંકારા તાલુકાના નસીતપરા ગામના રહેવાસી અને હાલ મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલ વાળી શેરીમાં તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામભાઈ નરસીભાઈ સવસાણી જાતે પટેલ નામના ૫૦ વર્ષીય આધેડનું બાઈક ગત તા.૧૭-૪ ના રોજ રાત્રિના આઠ વાગ્યાથી એક વાગ્યા દરમિયાનમાં મોરબીના શનાળા રોડ ઉમિયા સર્કલ પાસે ગાંધીના ડેલા નજીક પાર્ક કર્યું હતું ત્યાંથી ચોરાઈ ગયું હતું તેઓનું વાહન નંબર જીજે ૩૬ કે ૪૫૭૪ કિંમત રૂપિયા ૨૫ હજારનું વાહન ચોરાયું હોવાની તેઓએ પોલીસમાં જાણ કરી હતી જેની તપાસ દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા ડિ-સ્ટાફના પીએસઆઇ એ.વી.પાતળીયા અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી અને આ ગુનામાં અજય બાલાભાઈ ચાડમીયા જાતે દેવીપુજક (ઉમર ૨૫) ધંધો મજૂરી હાલ રહે.દલવાડી સર્કલ પાસે ઝૂંપડામાં કંડલા બાયપાસ મોરબી મૂળ રહે.પોલારપર તા.જસદણ જી.રાજકોટ અને સનાભાઇ કરશનભાઈ ભુરીયા (ઉમર ૫૫) ધંધો મજૂરી હાલ રહે.દલવાડી સર્કલ પાસે અમી પેલેસની સામે ઝૂંપડામાં કડડલા બાયપાસ મોરબી મૂળ રહે.ગાંગેડી તાલુકો ધાનપુર દાહોદ વાળાઓની અટકાયત કરવામાં આવી છે અને તેઓ પાસેથી રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમતનું ઉપરોક્ત વાહન પણ કબ્જે લેવામાં આવ્યું હતું.

તે રીતે જ મોરબીના માધાપરા શેરી નંબર ૧૯ માં રહેતા પિયુષભાઈ ચંદુભાઈ પરમાર જાતે સતવારા નામના ૩૩ વર્ષના યુવાનનું બાઈક તા.૧૮-૪ ના સવારના ૯:૩૦ થી બપોરના ૧૨ સુધીમાં મોરબીના સાવસર પ્લોટ આયુષ હોસ્પિટલ પાસે પાર્ક કર્યું હતું તે દરમિયાનમાં ચોરી થઇ ગયું હતું.તેઓનું બાઈક નંબર જીજે ૩ ડીએફ ૨૯૧૯ કિંમત રૂપિયા ૨૫,૦૦૦ નું ચોરી થયું હોય આ બાબતે તેઓએ એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી અને પોલીસે તપાસ ચલાવતા તેઓના ઉપરોક્ત વાહન સાથે પોલીસે રીઢા બાઈક ચોર પ્રકાશભાઇ ચંદુભાઈ નગવાડીયા જાતે કોળી (ઉમર ૩૩) રહે.ચીખલી તા.માળીયા મીંયાણા જી.મોરબી ની રૂપિયા ૨૫ હજારની કિંમતના ઉપરોક્ત બાઈક સાથે ધરપકડ કરી હતી.

આમ શહેરના શનાળા રોડ ઉપર અને સાવસર પ્લોટ વિસ્તારમાંથી થયેલ બે બાઈકની ચોરીમાં એ ડિવિઝન પોલીસે કુલ ત્રણ આરોપીઓની હાલમાં ધરપકડ કરી છે અને તેઓ અન્ય કોઈ વાહન ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ..? તેની આગળની તપાસ માટે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે. દરમિયાનમાં વધુ એક બાઈક ચોરી થઈ હોવાની પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.જેમા અશોકભાઈ તળશીભાઈ કાનાની જાતે પટેલ (ઉમર ૪૯) ધંધો ખેતી રહે.લજાઈ તા.ટંકારા જી.મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.૩૧-૧ ના રોજ સવારના ૧૦:૩૦ થી બપોરના ૧ વાગ્યા દરમિયાનમાં તેઓએ તેમનું બાઇક મોરબીના શનાડા રોડ સુપર માર્કેટ પાસે આવેલ ચાય પાર્લરની પાસે પાર્ક કર્યું હતું.તેઓએ તેમનું ટુ-વ્હીલર બાઈક નંબર જીજે ૩૬ એઇ ૩૪૨૬ ત્યાં પાર્ક કર્યું હતું અને દરમિયાનમાં ત્યાંથી ચોરી થઈ ગયું હોય હાલ રૂા.૩૦,૦૦૦ ની કિંમતનું વાહન ચોરાયા અંગેની તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરેલ છે.જેની આગળની તપાસ બીટ વિસ્તારના જમાદાર એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા હોવાનું મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.




Latest News