મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર પીલુડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં ધુણતા ભૂવાનું હાર્ટ એટેકથી મોત


SHARE













મોરબીના વાઘપર પીલુડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં ધુણતા ભૂવાનું હાર્ટ એટેકથી મોત

વર્તમાન સમયમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે તેવામાં મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં ભુવા ધુણતા હતા દરમિયાન તેને હાર્ટ એટેક આવતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે

છેલ્લા ઘણા સમયથી યુવાનો, વૃદ્ધો સહિતનાઓમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને ગમે ત્યારે, ગમે તેને, ગમે તે જગ્યાએ હાર્ટ એટેક આવવાથી તેનું મોત નીપજે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે રહેતા માતાજીના ભુવા પીઠાભાઈ રવાભાઈ મકવાણા (૭૩) ધાર્મિક કાર્યક્રમની અંદર વાઘપર પીલુડી ગામે ધૂણતા હતા દરમિયાન તેઓને હાર્ટ એટેક આવતા તાત્કાલિક તેને સારવાર માટે મોરબીના સામાકાંટા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી કરીને હાર્ટ એટેકના કારણે વૃદ્ધનું મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું વધુમાં મૃતકના પરિવારજન પાસેથી જાણવા મળતી માહિતી મુજબ નરસી ભગવાનના પાઠનું આયોજન વાઘપર પીલુડી ગામે આવેલ નરસી ભગવાનના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં માતાજીના ભુવા પીઠાભાઈ રવાભાઈ મકવાણા ધૂણતા હતા અને ધાર્મિક કાર્યક્રમ ચાલુ હતો ત્યારે જ તેઓને હાર્ટ અટેક આવતા તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા જોકે હાર્ટ એટેકના તીવ્ર હુમલાના કારણે તેમનું મોત નીપજયું હતું




Latest News