મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર પીલુડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં ધુણતા ભૂવાનું હાર્ટ એટેકથી મોત


SHARE









મોરબીના વાઘપર પીલુડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં ધુણતા ભૂવાનું હાર્ટ એટેકથી મોત

વર્તમાન સમયમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે તેવામાં મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં ભુવા ધુણતા હતા દરમિયાન તેને હાર્ટ એટેક આવતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે

છેલ્લા ઘણા સમયથી યુવાનો, વૃદ્ધો સહિતનાઓમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને ગમે ત્યારે, ગમે તેને, ગમે તે જગ્યાએ હાર્ટ એટેક આવવાથી તેનું મોત નીપજે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે રહેતા માતાજીના ભુવા પીઠાભાઈ રવાભાઈ મકવાણા (૭૩) ધાર્મિક કાર્યક્રમની અંદર વાઘપર પીલુડી ગામે ધૂણતા હતા દરમિયાન તેઓને હાર્ટ એટેક આવતા તાત્કાલિક તેને સારવાર માટે મોરબીના સામાકાંટા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી કરીને હાર્ટ એટેકના કારણે વૃદ્ધનું મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું વધુમાં મૃતકના પરિવારજન પાસેથી જાણવા મળતી માહિતી મુજબ નરસી ભગવાનના પાઠનું આયોજન વાઘપર પીલુડી ગામે આવેલ નરસી ભગવાનના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં માતાજીના ભુવા પીઠાભાઈ રવાભાઈ મકવાણા ધૂણતા હતા અને ધાર્મિક કાર્યક્રમ ચાલુ હતો ત્યારે જ તેઓને હાર્ટ અટેક આવતા તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા જોકે હાર્ટ એટેકના તીવ્ર હુમલાના કારણે તેમનું મોત નીપજયું હતું






Latest News