મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE





વાંકાનેર નજીક કારખાનામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેરલા જડેશ્વર રોડ ઉપર આવેલ કારખાનામાં યુવાને પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ચાવડી ચોક નીલકંઠ શેરીમાં રહેતા ભાર્ગવભાઈ દિલીપભાઈ વોરા (22) નામના યુવાને ગત તા. 19/9/2024 ના રોજ પોતે પોતાના જડેશ્વર રોડ ઉપર આવેલ સિંગદાણાના કારખાનામાં ઝેરી દવા પી લીધી હતી. જેથી કરીને તેને ઝેરી અસર થતાં બેભાન હાલતમાં તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તા. 9/9/2024 ના રોજ તેનું મોત નીપજયું હતું જેથી આ અંગેની જાણ રાજકોટની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા સોનલબેન અરજણભાઈ કુંભરીયા (41) નામના મહિલા પગપાળા ચાલીને રામદેવપીરના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે રસ્તો ઓળંગી રહેલા સોનલબેનને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં તેને ઈજા થતાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા ધનજીભાઈ મોતીભાઈ કંઝારીયા (61) નામના વૃદ્ધ તેના દીકરાના બાઈકમાં પાછળ બેસીને ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગામમાં આવેલ મંદિર પાસે તેઓ બાઈકમાંથી પડી જતા તેમને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા.




Latest News