મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે
SHARE
મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે
મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજીત શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ નવાડેલા રોડ, મોરબી ખાતે યોજાશે.આ ૧૯૭ મો કેમ્પ છે તેના દાતા તરીકેનો લાભ સુવર્ણાબેન સુરેશભાઈ મહેતા (મુંબઈ) એ લીધેલ છે.
આ કેન્સર નિદાન કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો.વિક્રમભાઈ સંઘવી (એમએસ) કેન્સરના દર્દીઓને તા.૧૦-૧-૨૬ ને શનિવાર સાંજે ૪ થી ૭ અને તા.૧૧-૧-૨૬ ને રવિવારે સવારે ૯ થી ૧૨ ના સમય દરમ્યાન યોજાશે.આ વિના મુલ્યે કેમ્પમાં દર્દીઓને તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે.આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર-મેડીકલ ઓફીસર મયુરભાઇ વોરા મો. ૯૫૩૭૦ ૯૯૨૧૯ પાસે અગાઉથી નોંઘાવી જવા અને તપાસ કરાવવા માટે આવો ત્યારે પોતાના કેશ પેપર્સ સાથે લાવવા તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદરાય શાહએ યાદીમાં જણાવેલ છે.