પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાંથી જન્મ અને મરણના પ્રમાણપત્ર કલરમાં કાઢી આપવા કરાઇ રજૂઆત


SHARE







મોરબી મહાપાલિકામાંથી જન્મ અને મરણના પ્રમાણપત્ર કલરમાં કાઢી આપવા કરાઇ રજૂઆત

મોરબી મહાપાલિકામાં જન્મ કે મરણ પ્રમાણપત્ર લેવા માટે અરજદારો જાય છે ત્યારે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તો પણ તેઓને કચેરમાં કલર પ્રિન્ટર ન હોવાથી કલર કોપીમાં પ્રમાણપત્ર કાઢી આપવામાં આવતું નથી અને તે સિવાય પણ કેટલીક સમસ્યાઓ છે જેના માટે કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે. અને વહેલી તકે સમસ્યાઓનું નિવારણ લાવવાની માંગ કરી છે.

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ બોરીયા પાટી પાસે આવેલ તેજાણીની વાડીમાં રહેતા ગિરધરભાઈ ભગવાનજીભાઈ પરમારે હાલમાં મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે કે, મોરબી મહાપાલિકામાં જન્મ-મરણ વિભાગમાં હાલમાં જે સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે તે બ્લેક & વ્હાઇટ કોપીમાં આપવામાં આવે છે. જે ખરેખર કલર કોપીમાં આપવાના હોય છે. હાલે જે CRS પોર્ટલમાંથી સર્ટિફિકેટ ઇસ્યુ થાય છે તે કલરમાં થાય છે પરંતુ કલર પ્રિન્ટરના અભાવ ના કારણે બ્લેક & વ્હાઇટ કોપીમાં આપવામાં આવે છે. જેથી જન્મ-મરણ વિભાગમાં કલર પ્રિન્ટર મૂકીને આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય તેમ છે. ઉલેખનીય છેકે, જન્મ પ્રમાણપત્રએ અગત્યનું ડોક્યુમેન્ટ છે જો તેને સારા કાગળમાં કલર કોપીમાં મોરબી મહાપાલિકા તરફથી આપવામાં આવે તો સામાન્ય માણસ તેને સાચવી શકે,  હાલે જન્મ-મરણ વિભાગમાં સબરજીસ્ટ્રાર તરીકે એક જ અધિકારી ફરજ બજાવી રહ્યા છે. અને જ્યારે ઓફિસના કામથી, મિટિંગમાં કે કોર્ટની મુદતમાં તે જાય છે ત્યારે અરજદારને હેરાન થવું પડે છે જેથી જન્મ-મરણ વિભાગમાં વધારાના અધિકારીની નિમણૂક કરવામાં આવે તો લોકોને કાયમીની પીડામાંથી મુક્તિ મળે તેમ છે. અને હાલે સોફ્ટવેર અપડેટના કારણે મોરબી મહાપાલિકામાં નવા ઉમેરવામાં આવેલ ગામના જન્મ પ્રમાણપત્ર કાઢી શકાતા નથી. જો કોઈ અરજદાર જન્મ પ્રમાણપત્ર કઢાવવા આવે તો તેને એકથી બે માસનો સમય આપવામાં આવી રહ્યો છે. જેના કારણે અરજદારોને પોતાના વહીવટી કામ અટકી જાય છે અને સોફ્ટવેર અપડેટના કારણે કચેરીએ અવારનવાર ધક્કા ખાવા પડે છે. જેથી આ પ્રશ્ન ઉકેલવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ તેવી માંગ કરી છે.






Latest News