મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની PM SHRI સજનપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો


SHARE













ટંકારા તાલુકાની PM SHRI સજનપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર અને નાયબ નિયામક અને ટેક્નિકલ શિક્ષણના  કમિશ્નર-ગાંધીનગર એમ.જે. અધારાની હાજરીમાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં બાલવાટીકા અને ધો.1 માં નવો પ્રવેશ મેળવનાર બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો અને બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ સાથે શાળાના ધો.3 થી 8 ના વાર્ષિક પરિક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ જુદી જુદી પરીક્ષાઓ જેવી કે CET, જ્ઞાનસાધના, NMMS, DLSS અને સૌથી વધુ હાજરી ધરાવતા બાળકોને વિવિધ ઇનામોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે શાળામાં અભ્યાસ વિવિધ ઇનામો અને તિથિ ભોજનના દાતાઓનું શાળા પરિવાર વતી સાલ અને સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળામાં સ્કૂલ ઓફ એક્ષલન્સ અંતર્ગત બાંધકામ થયેલ નવા રૂમનુ લોકર્પણ પણ કરવામાં આવ્યું અને સરકાર દ્વારા અપાયેલ  નિપુણ ભારત અંતર્ગત વિવિધ સાહિત્યનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમા શાળાના તમામ શિક્ષકોની અથાગ મહેનત બદલ સમગ્ર ગામલોકો અને સરપંચ વિનોદભાઈ સિણોજીયા તેમજ આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામ શિક્ષકોને બિરદાવ્યા હતા.




Latest News