મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચોમાસામાં ગ્રામ પંચાયતના તલાટી-મંત્રીઓને હેડક્વાર્ટર ઉપર હાજર રહેવા ડીડીઓનો આદેશ


SHARE













મોરબી જીલ્લામાં ચોમાસામાં ગ્રામ પંચાયતના તલાટી-મંત્રીઓને હેડક્વાર્ટર ઉપર હાજર રહેવા ડીડીઓનો આદેશ

મોરબી જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થઇ ગયેલ હોય તેના કારણે અતિ ઝડપથી પવન ફુંકાવાની તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેથી ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયત સેક્રેટરીની હાજરી અનિવાર્ય હોવાથી ચોમાસામાં મહત્વની સુચનાઓનું પાલન કરવા મોરબીના ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે.

આ પરિપત્ર અનુસાર તમામ તલાટી-કમ મંત્રીઓ ફરજિયાત હેડક્વાર્ટર પર રહે તે માટેની સુચના આ૫વામાં આવે છે અને સેજાના તેમજ ચાર્જના ગામમાં હાજરી આપવાની થાય તો તેની જાણ અગાઉથી સરપંચ તથા વિસ્તરણ અઘિકારી(પંચાયત)ને કરવી અને કયા વારે કયા ગામે હાજર રહેવાને છે તે અંગેનું બોર્ડ ગ્રામ પંચાયત ખાતે ફરજિયાત લગાવવાનું રહેશે. તાલુકા કક્ષાની અઠવાડિક બેઠકમાં હાજર રહેવાનુ હોય ત્યારે તેની જાણ પણ સરપંચને કરવી અને બેઠક પુર્ણ થયા બાદ તાત્કાલિક ફરજ પર હાજર થઇ જવાનું રહેશે. 

ટીડીઓ દ્વારા બિન અધિકૃત ગેરહાજર રહેનાર તલાટી કમ મંત્રીની જે-તે દિવસની બિન પગારી રજા ગણવાની રહેશે. અને વાંરવાંર આવુ બનવા પામે તો શિક્ષાત્મક કાર્યવાહી હાથ ઘરવા સુચના આપવામાં આવી છે. વિસ્તરણ અઘિકારી(પંચાયત) સંવર્ગના કર્મચારીએ ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રીની હાજરીની ખરાઇ કરવાની રહેશે. અને તેનો હકીકત લક્ષી અહેવાલ તાલુકા વિકાસ અઘિકારી મારફત અત્રેની કચેરીને મોકલી આપવાનો રહેશે.

ગ્રામ્ય કક્ષાએ ભારે વરસાદ દરમિયાન ઉપલબ્ઘ ટ્રેકટર, જે.સી.બી, બુલડોઝર, ટ્રક વગેરે વાહન માલિકોની સંપર્ક યાદી તલાટી-કમ મંત્રીએ તૈયાર કરવી તેમજ આ બાબતની કામગીરીની ચકાસણી વિસ્તરણ અઘિકારી(પંચાયત)એ કરવાની રહેશે. વરસાદ દરમિયાન તલાટી-કમ મંત્રીઓએ ફરજ પર સતત સ્ટેન્ડ બાય રહેવાનું રહેશે. તથા આવશ્યક તમામ જરૂરી પગલા લેવાના રહેશે. ઉપરાંત તેઓના વિસ્તારમાં કોઇ દુર્ઘટના બને તો તેની જાણ તરતજ જિલ્લા કક્ષાએ કરવાની રહેશે. તેવો મોરબીના ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.




Latest News