મોરબીના શનાળા રોડે ભાઈના જન્મદિવસે જાહેરમાં ફટાકડા ફોડતા યુવાનના સીન વિખીનાખ્યા માળીયા (મી)ના અંજીયાસર ગામે પતિની હત્યા કરનાર પત્ની-સાળો જેલ હવાલે: દીકરો રિમાન્ડ ઉપર મોરબી જિલ્લાના દેવગઢ ગામે ઘરમાં નકલી ઇંગ્લિશ દારૂની મિનિ ફેકટરી ચલાવતા બે સગા ભાઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબી સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં મહિલાને શુદ્ધ ઘી ના ડ્રાયફુટયુક્ત શીરાની વિતરણ મોરબીમાં પત્નીનાઅંતિમ પગલાં બાદ બાદ સિરામિક રોમટિરિયલ્સના ધંધાર્થીએ નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટુકાવ્યું વાંકાનેરના દેરાળા ગામે પ્રેમિકાના મંગેતરને પ્રેમસબંધની વાત કરનારા યુવાનને પ્રેમિકાના સસરા સહિત ચાર શખ્સોએ માર માર્યો મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મનો ખાર રાખીને યુવાન ઉપર તલવાર વડે હુમલો, આંગળી કપાઈ ગઈ: દંપતિ સામે ફરિયાદ મોરબીમાં એસીનું પાણી ઘરમાં પડતું હોવાનો ખાર રાખીને યુવાનને સાત શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના વવાણીયા ખાતે શ્રીમદ રાજચંદ્ર વિદ્યા મંદિર વવાણીયામાં કન્યા કેળવણી મહોત્સવ-પ્રવેશોત્સવ યોજાયો


SHARE









મોરબીના વવાણીયા ખાતે શ્રીમદ રાજચંદ્ર વિદ્યા મંદિર વવાણીયામાં કન્યા કેળવણી મહોત્સવ-પ્રવેશોત્સવ યોજાયો

મોરબી જિલ્લાના વવાણીયા ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર વિદ્યા મંદિર વવાણીયામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો હતો.જેમાં વવાણીયા ગામની કુલ 4 શાળા (વવાણીયા તાલુકા શાળા અને વવાણીયા કન્યા શાળા, શ્રીમદ રાજચંદ્ર માધ્યમિક શાળા વવાણીયા, ઉચ્ચતર માધ્યમિક શાળા વવાણીયા) અને લક્ષ્મીવાસ પ્રા.શાળા સહિત સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બાલવાટિકા અને ધોરણ-1 અને ધોરણ 9 અને 11 નાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે દર્શનભાઈ ડી.દેસાઈ ઉપસચિવ-પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ-ગાંધીનગર અને સીઆરસી કો-ઓર્ડિનેટર (ખાખરેચી) ગઢીયા જયેશભાઈ, વવાણીયા ગ્રામના સરપંચ રાજાભાઈ, લક્ષ્મીવાસના સરપંચ પ્રાણજીવનભાઇ, શાળામાં સ્કૂલબેગ અને સ્ટેશનરીના દાતા એવા મહેન્દ્રભાઈ શાહ, દિલીપભાઈ મહેતા, આનંદભાઈ પલરેચ્છા, નરેશભાઈ હુબલીવાળા અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રવેશોત્સવમાં ગામનાં વાલીઓ અને બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.સ્કુલ મેનેજમેન્ટ કમિટિનાં સભ્યોએ પણ હાજરી આપી હતી.ગત વર્ષમાં સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.સરકારની નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના જેવી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ બાળકોને શાળા પરિવાર અને દાતા દ્વારા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.ગામની  આંગણવાડી કેન્દ્રોનાં બાળકો, બાલ વાટીકા અને ધોરણ 1 ,ધોરણ 9 અને 11 મા પ્રવેશ મેળવનાર કુમાર અને કન્યાઓને, સ્કૂલ બેગ અને સ્ટેશનરીની વસ્તુઓ  આપી સ્વાગત કરાયું હતુ. આ પસંગે ઉપસ્થિત ઉપ સચિવ દર્શનભાઈ દેસાઈએ પ્રેરક ઉદબોધન કર્યું હતું.ઊપરાંત શાળામાં વૃક્ષારોપણ તથા અંતમાં આભાર વિધિ શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં તમામ શિક્ષકોએ પૂરી મહેનત કરી હતી.




Latest News